મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના [...]

કૃષ્ણ લીલા……………….!

કૃષ્ણ લીલાને સાંભળી ને એક અબોધ બાળક બતાવતો હતો કે
કૃષ્ણ ગોપીઓના વસ્ત્રો ચોરી ને… પછી દ્રોપદી ના ચીર પુરતો હતો…
- હસમુખ ધરોડ ‘અંકુર’

અણસાર…………..!

મને મોતનો અણસાર તો ત્યારે આવ્યો…
કે જ્યારે…હું એક ફોટોગ્રાફર…આર્ટિસ્ટ,
એક ગરીબ ની આકૃતિ દોરતો હતો…
અને…તેનુ…પેટ દોરતા ભુલી ગયો…!!!
- હસમુખ ધરોડ ‘અંકુર’