ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝીર દેખૈયા

ફરમાઇશ કરનાર : વિપુલ પ્રજાપતિ

તમારી ફરમાઇશ માટે અહી કિલક કરો

8 Responses

  1. this is very honest gujarati gazal.when i am listan this gazal i am just like hevan.thank you for this gazal.

  2. Hi,

    I just love this gazal, thanks for posting this here.

    Thanks
    Aviansh

  3. Amazing ……..
    thnks thanku so much

  4. i like this gazalvery much.

    thankyou! for this gazal.

  5. I just want Gazal of nadir dekhaiya “tu mange ne hu ani dau a mane manjoor nathi”

  6. ખૂબ સુંદર ગઝલ સંગ્રહ કરી છે

  7. ગઝલ જીવનનો પ્રાણ છે

Leave a reply to komal જવાબ રદ કરો