ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
– નાઝીર દેખૈયા
ફરમાઇશ કરનાર : વિપુલ પ્રજાપતિ
તમારી ફરમાઇશ માટે અહી કિલક કરો
Filed under: ગઝલ, નાઝીર દેખૈયા |
this is very honest gujarati gazal.when i am listan this gazal i am just like hevan.thank you for this gazal.
Hi,
I just love this gazal, thanks for posting this here.
Thanks
Aviansh
Amazing ……..
thnks thanku so much
It is really a nice thought
i like this gazalvery much.
thankyou! for this gazal.
I just want Gazal of nadir dekhaiya “tu mange ne hu ani dau a mane manjoor nathi”
ખૂબ સુંદર ગઝલ સંગ્રહ કરી છે
ગઝલ જીવનનો પ્રાણ છે