એ ન ચાલે, ચાલવા યે દે નહીં
એકપણ પગલું ગલત, એ કોણ છે ?
ખર ખબર કે છે ન ખત, એ કોણ છે ?
તોય છું જેનામાં રત, એ કોણ છે ?
ઝળહળે છે જે સતત, એ કોણ છે ?
ને નથી જે હસ્તગત, એ કોણ છે
હાથમાંથી દોર સરકે એ સમે
હાથ ઝાલી લે તરત, એ કોણ છે ?
આમ તો છે આવવા આતુર પણ
આકરી મેલે શરત, એ કોણ છે ?
– મુકુલ નાણાવટી
Filed under: ગઝલ, મુકુલ નાણાવટી | Tagged: એ કોણ છે ? ખર ખબર કે છે ન ખત, એ ન ચાલે, એકપણ, ગઝલ, ગલત, ગુજરાતી ગઝલ, ચાલવા યે દે નહીં, જેનામાં, તોય છું, પગલું, મુકુલ નાણાવટી, રત, Gazal, gujarati, gujarati gazal, gujarati shayri, mukul nanavati | 6 Comments »