“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના
જે જન્મતાં આશિષ હેમચન્દ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની
દ્રઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી
– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)
Filed under: ઉમાશંકર જોશી, કવિતા, ગીત | Tagged: આયુષ્મતી, આશિષ, ઉમાશંકર જોષી, ઋતંભરા, ગુર્જરી ગિરા, જન્મતાં, જિનસાધુઓએ, જે, નાચી અભંગે નરસિંહ-મીરાં-, પામી, વિરાગી, વિશ્વ માતૃભાષા દિવસ, વિશ્વમાંગલ્યધાત્રી, હેમચન્દ્રની | 2 Comments »