મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!


દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !

સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !

તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !

નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

ડરે છે જ શાને?


સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?

પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?

ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?

સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?

ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?

– સુનીલ શાહ

તડફડાટ…!!!


નજર…નજર…માં જોઇલો આ તફાવત છે કેટલો ?
નયન દુર હોવા છતાં દિલ કહે છે એ પાસ હશે…!

પ્રસરતી યાદ ને રોકવી રહેવા દો દોસ્તો…
નક્કી એને ચારેકોર થી મારી જ તલાશ હશે…!

નથી કંડારાયો હું હજી કોઇ અજાણ્યા દિલમાં,
કદાચ ! મારા દિલને મારો જ ત્રાસ હશે…!

આંસુ જો રંગીન હોત તો તેમાંય મેચીંગ હોત…!!!
ખુદા આમાંય ક્યાંક માનવી નો ક્ટાક્ષ હશે…!

નહિં તો રોકાત નહીં રેતી પેલી રેતશીશી માં…
નક્કી એમાં સમયનો કારમો નિશ્વાશ હશે…!

બહુ સંભાળી ને વાંચજો આ ગઝલ ‘અંકુર’ ની દોસ્તો…
નયન ભીના થયા છે…તેમાં યે ક્યાંક શબ્દોનો તડફડાટ હશે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’